મોદી સરકારની નોટબંધી 2.O!:સરકારે રૂ. 2,000ની નોટ પાછી ખેંચી, 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં બદલી શકાશે; એક સમયે વધુમાં વધુ 10 નોટ બદલાશે

Join WhatsApp Group Join Now


રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ 2000ની નોટને સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચી લીધી છે, પરંતુ હાલની નોટો અમાન્ય નહીં બને. 2 હજારની નોટ નવેમ્બર 2016માં બજારમાં આવી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000ની નોટ બંધ કરી દીધી હતી. એને બદલે નવી પેટર્નમાં 500 અને 2000ની નવી નોટ બહાર પાડવામાં આવી હતી. RBIએ 2019થી 2000ની નોટ છાપવાનું બંધ કરી દીધું હતું. જો કે, એ નોંધવું અગત્યનું છે કે હાલની નોટો અમાન્ય નહીં બને. આ નિર્ણયની ભારતીય અર્થવ્યવસ્થા પર નોંધપાત્ર અસર થવાની ધારણા છે અને આ પગલાની અસરોને સમજવી જરૂરી છે.

RBIએ બેંકોને 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી 2000ની નોટ બદલી આપવાની સૂચના આપી છે. એક સમયે માત્ર વીસ હજાર રૂપિયાની મહત્તમ કિંમતની નોટો જ બદલી શકાશે. હવેથી બેંકો 2000ની નોટ નહીં આપે.

હવે સવાલ-જવાબમાં RBIના આ આદેશનો અર્થ સમજો.

1. RBIએ શું કહ્યું?
રિઝર્વ બેંક 2000ની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેશે, પરંતુ હાલની નોટો અમાન્ય રહેશે નહીં. આરબીઆઈએ કહ્યું કે 2018-19માં તેમનો ઉદ્દેશ પૂરો થયા બાદ તેનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું.

2. નિર્ણયનો અમલ ક્યારથી થઈ રહ્યો છે?
આરબીઆઈએ પોતાના સર્ક્યુલરમાં લખ્યું છે કે તે 2000ની નોટોને ચલણમાંથી બહાર લઈ રહી છે. આ માટે કોઈ તારીખ કે સમય આપવામાં આવ્યો નથી. એટલે કે આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે.

3. નોટ બદલવા માટે શું કરવું પડશે, તેની સંપૂર્ણ પ્રક્રિયા શું હશે?
આ નોટો બેંકમાં જઈને બદલી શકાય છે. આ માટે 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ અંગે બેંકોને પણ જાણ કરવામાં આવી છે જેથી નોટ બદલવામાં કોઈ મુશ્કેલી ન આવે.

4. બજારમાં 2000ની નોટોની ખરીદી પર શું અસર જોવા મળી શકે છે?
સરકારે તેને ચલણમાં રાખી હોવા છતાં વેપારીઓ તેની સાથે લેવડદેવડ કરવામાં સંકોચ અનુભવે છે. આવી સ્થિતિમાં, બેંકમાંથી જ તેને બદલવી વધુ સારી રહેશે.

5. RBIએ નોટ બદલવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. આ પછી શું થશે?
તારીખ પણ લંબાઈ શકે છે, પરંતુ છેલ્લી તારીખની રાહ જોશો નહીં. જો સરકાર તેને અમાન્ય કરી દેશે તો તમારી પાસે રાખેલી 2000ની નોટોની કોઈ કિંમત રહેશે નહીં.

6. આની સામાન્ય લોકો પર કેવી અસર થશે?
જેની પાસે 2 હજારની નોટ છે તેણે બેંકમાં જઈને તેને બદલી આપવી પડશે. 2016માં નોટબંધી દરમિયાન 500 અને 1000ની નોટો બંધ કરવામાં આવી હતી. તેને બદલવા માટે સમય પણ આપવામાં આવ્યો હતો, પરંતુ લાંબી કતારો લાગવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તે આ વખતે પણ જોવા મળી શકે છે.

આરબીઆઈનો નિર્ણય

આરબીઆઈએ જણાવ્યું છે કે રૂ. 2000ની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવશે; જો કે, હાલની નોંધો કાનૂની ટેન્ડર રહેશે. નોટ છાપવાનું બંધ કરવાનો નિર્ણય આરબીઆઈ દ્વારા 2018-19માં તેનો લક્ષ્યાંક પૂરો કર્યા બાદ લેવામાં આવ્યો હતો.

RBI એ રૂ. 2000ને નોટને સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચી લેવાથી વા માટે કોઈ ચોક્કસ કારણો આપ્યા નથી. 2,000ની નોટ. જો કે, શક્ય છે કે કાળા નાણાંના ઉપયોગ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવાના પ્રયાસરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો હોય. આ રૂ. 2000 ની નોટ ઉચ્ચ મૂલ્યની નોટ છે, અને એવું માનવામાં આવે છે કે તેનો ઉપયોગ ઘણીવાર ગેરકાયદેસર વ્યવહારો માટે થાય છે.

2000ની નોટ કાળાં નાણાંનો સંગ્રહ કરનારાઓને મદદ કરતી હતી
વર્ષ 2016માં નોટબંધીના સમયે કેન્દ્ર સરકારને આશા હતી કે ભ્રષ્ટાચારીઓના ઘરેથી ગાદલાં-તકિયાંમાં ભરીને રાખેલું 3-4 લાખ કરોડનું કાળું નાણું બહાર આવશે, પરંતુ 1.3 લાખ કરોડનું કાળું નાણું જ બહાર આવ્યું. હવે નોટબંધી સમયે જારી કરવામાં આવેલી નવી 500 અને 2000ની નોટોમાં 9.21 લાખ કરોડ ચોક્કસપણે ગાયબ થઈ ગયા છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની 2016-17થી 2021-22 સુધીનો વાર્ષિક રિપોર્ટ જણાવે છે કે RBIએ 2016થી લઈ અત્યારસુધીમાં 500 અને 2000ની કુલ 6,849 કરોડ ચલણી નોટ છાપી છે.

આરબીઆઇએ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી લેવાની જાહેરાત કરી છે. ભારતીય ઝિર્વ બેન્કે બેન્કોને સલાહ આપી છે કે, તે તાત્કાલિક ધોરણે 2000ની નોટને આપવાનું બંધ કરે. જો કે, 2000 રૂપિયાની નોટ બેન્ક નોટ માન્ય મુદ્રા રહેશે. જાણકારી અનુસાર, ક્લીન નોટ પોલિસી અંતર્ગત આરબીઆઈએ આ નિર્ણય લીધો છે. આરબીઆઈએ કહ્યું કે, આ નોટ 30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે.


RBIએ આપી મોટી રાહત: લૉનનો હપ્તો ચુકી જશો તો, બેન્ક નહીં લગાવી શકે મોટો દંડ છેલ્લા કેટલાક મહિનાથી માર્કેટમાં 2000 રૂપિયાની નોટ ઓછી દેખાઈ રહી હતી. લોકોનું કહેવું હતું કે, એટીએમમાંથી 2000 રૂપિયાની નોટ નથી નીકળતી. આ સંબંધમાં સરકારે સંસદમાં પણ જાણકારી આપી હતી.


રિઝર્વ બેન્કે પોતાના વાર્ષિક રિપોર્ટમાં 2000 રૂપિયાની નોટને લઈને મોટી જાણકારી હતી. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના વાર્ષિક રિપોર્ટ મુજબ, નાણાકીય વર્ષ 2019-20, નાણાકીય વર્ષ 2022-21 અને નાણાકીય વર્ષ 2021-22માં 2000 રૂપિયાની નોટ નથી છાપી. આ જ કારણે બજારમાંથી 2000 રૂપિયાની નોટ સર્કુલેશનમાંથી ઘટી ગઈ હતી.


નોટબંધી બાદ માર્કેટમાં આવી હતી 2000 રૂપિયાની નોટ 8 નવેમ્બર 2016ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એલાન બાદ 500 અને 1000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર થઇ ગઇ હતી. આ કરન્સીની જગ્યાએ રિઝર્વ બેન્કે 500 અને 2000 રૂપિયાની નોટ જાહેર કરી હતી. રિઝર્વ બેન્કનું માનવું હતું કે, 2000 રૂપિયાની નોટ એ નોટની વેલ્યૂની ભરપાઈ સરળતાથી કરી દેશે, જેને ચલણમાંથી બહાર કરી દેવામાં આવી હતી.

2000 રૂપિયાની નોટઃ વર્ષ 2016માં નોટબંધી બાદ હવે કેન્દ્ર સરકારે 2000 રૂપિયાની નોટને લઈને મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર હવે 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી બહાર કરી રહી છે. 2000 રૂપિયાની નોટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નોટબંધીના 6 વર્ષ બાદ દેશમાં ઘણું બદલાઈ ગયું છે. સમગ્ર દેશમાં ડિજિટલ પેમેન્ટ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. આ દરમિયાન 2000 રૂપિયાની નોટોને લઈને એક મોટી વાત સામે આવી રહી છે કે ફરી એકવાર આ નોટો બજારમાં ઘણી ઓછી જોવા મળી રહી છે. હવે સરકારે આ મામલે મોટો નિર્ણય આજે લીધો છે. 23મીથી માત્ર 10 હજારની એક સાથે નોટ બદલી શકાશે. સરકારના આ નિયમ મુજબ 1 ઓકટોબરી ગુલાબી નોટ કાગળ બની જશે. 

વર્ષ 2016માં નોટબંધી બાદ હવે કેન્દ્ર સરકારે 2000 રૂપિયાની નોટને લઈને મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર હવે 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી બહાર કરી રહી છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે તેનું કાનૂની ટેન્ડર રહેશે, પરંતુ તેને ચલણમાંથી બહાર કરી દેવામાં આવશે. જો તમારી પાસે પણ 2000 રૂપિયાની નોટ પડી છે, તો તમે તેને 30 સપ્ટેમ્બર સુધીમાં બેંકમાં બદલી શકો છો.

2000ની નોટો છાપવામાં આવતી નથી
તમને જણાવી દઈએ કે છેલ્લા ત્રણ વર્ષથી 2000 રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી. આવી સ્થિતિમાં, આ નોટ (2000 રૂપિયાની નોટ) ચલણમાં ન હોવાના બરાબર છે. RTI અનુસાર, વર્ષ 2019-20, 2020-21 અને 2021-22 દરમિયાન 2,000 રૂપિયાની નવી નોટ છાપવામાં આવી નથી.

RBI નોટ બહાર પાડે છે
હાલમાં રિઝર્વ બેંક દ્વારા બજારમાં 2, 5, 10, 20, 50, 100, 200, 500 અને 2000 રૂપિયાની નોટો બહાર પાડવામાં આવી રહી છે. પીએમ મોદીએ 8 નવેમ્બર 2016ના રોજ 500 અને 1000 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર કરી દીધી હતી. તેના બદલામાં 2000 અને 500 રૂપિયાની નવી નોટો જારી કરવામાં આવી હતી.

2000ની નોટનો હિસ્સો કેટલો ઘટ્યો
નવી નોટો જારી કરવાનો હેતુ એ હતો કે નવી નોટો શક્ય તેટલી વહેલી તકે આખા દેશમાં ફેલાઈ જાય, પરંતુ હાલમાં બજારમાં 2000 રૂપિયાની બહુ ઓછી નોટો દેખાઈ રહી છે. આરબીઆઈ પાસેથી મળેલી માહિતી મુજબ 31 માર્ચ 2022 સુધીમાં દેશભરમાં ચલણમાં 2000 રૂપિયાની નોટોનો હિસ્સો ઘટીને માત્ર 13.8 ટકા થઈ ગયો છે.

નકલી નોટોની સંખ્યા
જો આપણે નકલી નોટોની સંખ્યા વિશે વાત કરીએ, તો વર્ષ 2018 માં તે 54,776 હતી. વર્ષ 2019માં આ આંકડો 90,566 હતો અને વર્ષ 2020માં 2,44,834 નોટો હતો.

સરકાર માનતી નથી, પરંતુ 500 અને 2000ની નોટોમાં જ કાળું નાણું જમા થાય છે, પછી વર્ષ 2019થી રૂ.2000ની નોટો છાપવાનું બંધ છે

અધિકારીઓનું માનવું છે કે કાળું નાણું જમા કરાવવા માટે સૌથી વધુ ઉપયોગ મોટા મૂલ્યની નોટો એટલે કે 500 અને 2000નો થાય છે. કદાચ આ જ કારણથી 2019 થી 2000 ની નોટોનું પ્રિન્ટિંગ બંધ થઈ ગયું છે, પરંતુ 2016ની સરખામણીમાં 500 નવી ડિઝાઇનની નોટોના પ્રિન્ટિંગમાં 76%નો વધારો થયો છે

બજાર અસરો અને સામાન્ય જાહેર અસર

જ્યારે સરકારે રૂ. 2000ની નોટો સ્વીકારતા અનેક વેપારીઓ અચકાય છે. પરિણામે, વ્યવહારમાં મુશ્કેલીઓ ટાળવા માટે આ નોટો બેંકોમાં એક્સચેન્જ કરવાની સલાહ આપવામાં આવે છે. નોટો બદલવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર, 2023 હોવા છતાં છેલ્લી ઘડી સુધી રાહ ન જોવાની ભલામણ કરવામાં આવે છે. જો સરકાર ભવિષ્યમાં નોટોને અમાન્ય કરશે તો રૂ. 2000ની નોટો નકામી થઈ જશે.

સામાન્ય જનતાને આ નિર્ણયની સીધી અસર થશે, કારણ કે કોઈપણ વ્યક્તિ પાસે રૂ. 2000 ની નોટો બદલવા માટે તેમની બેંકોની મુલાકાત લેવાની જરૂર પડશે. 2016માં નોટબંધીના સમયગાળાની જેમ જ જ્યારે રૂ. 2000 500 અને રૂ. 2000 1,000 ની નોટો બંધ કરવામાં આવી હતી, વ્યક્તિઓને વિનિમય પ્રક્રિયા દરમિયાન અસુવિધાઓ અને લાંબી કતારોનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો : 💥

x
Scroll to Top